May 5, 2024

LALIT GANATRA

Tax Advocate

સવાલ આપના જવાબ ટેક્સ ટુડે એક્સપર્ટના (આ કૉલમ દર શનિવારે પ્રસિદ્ધ થશે) 07th January 2023

1 min read
સવાલ-આપના-જવાબ-ટેક્સ-ટુડે-એક્સપર્ટના-(આ-કૉલમ-દર-શનિવારે-પ્રસિદ્ધ-થશે)-07th-january-2023

Spread the love

Reading Time: 3 minutes

Tax Today-The Monthly News Paper

:ટેક્સ ટુડે એક્સપર્ટ:

CA મોનીષ શાહઅમદાવાદ

એડવોકેટ લલિત ગણાત્રાજેતપુર

CA દિવ્યેશ સોઢાપોરબંદર

એડવોકેટ ભવ્ય પોપટ, ઉના


જી.એસ.ટી./વેટ

  1. અમારા અસીલની ફક્ત દુકાન ભાડાની આવક છે. શું તેઓ સર્વિસ કંપોઝીશન હેઠળ 6% વેરો ભરવાનો વિકલ્પ લઈ શકે છે?                                                                                                                                                                                                        ગૌરવ પટેલ, એડવોકેટ, ખેડા

જવાબ: હા, આપના અસીલની ભાડાની વાર્ષિક આવક 50 લાખથી ઓછી હોય તો તેઓ 6% લેખે કંપોઝીશન ભરવાનો વિકલ્પ લઈ શકે છે.

2. અમારા અસીલ ગોળ (HSN 1701) નો હોલસેલ વેપાર કરે છે. તેઓના પેકિંગ 26 કિલોના હોય છે. ગોળ પર સામાન્ય રીતે 5% જી.એસ.ટી. લાગુ પડે છે. પણ જો ગોળ 26 કિલોના પેકિંગમાં વેચવામાં આવતો હોય તો જી.એસ.ટી. લાગુ પડે?                                                            નિમેષ પરિખ, જુનાગઢ

જવાબ: ગોળને જો પેકિંગ અને લેબલિંગ કર્યા વગર 26 કિલોના પેકિંગમાં વેચાણ કરવામાં આવે તો તેના ઉપર જી.એસ.ટી. લાગુ પડે નહીં તેવો અમારો મત છે. 

*Updated

3. અમારા અસીલ કંદોઇ છે. તેઓ ફરસાણનું ઉત્પાદન તથા વેચાણ કરે છે. તેઓ આ ફરસાણને ખુલ્લુ અને પેકિંગ એમ બન્નેમાં વેચાણ કરે છે. પેકિંગમાં તથા ખુલ્લુ વેચવામાં આવે ત્યારે જી.એસ.ટી. નો ક્યો દર લાગુ પડે તે જણાવવા વિનંતી.                                                   જિગ્નેશ દેત્રોજા, ધોરાજી

જવાબ: ફરસાણના વેચાણ જો ટ્રેડમાર્ક ધરાવતા હોય તો 12% જી.એસ.ટી. લાગુ પડે અને જો રજિસ્ટર્ડ ટ્રેડમાર્ક ના હોય તો 5% જી.એસ.ટી. લાગુ પડે તેવો અમારો મત છે.


 ખાસ નોંધ:

  1. મિત્રો, આ પ્રશ્નોના જવાબ સામાન્ય સંજોગોમાં આપવામાં આવતા હોય છે. અમારા મતે જી.એસ.ટી. ની જોગવાઇઓની ગંભીરતા સમજી તમામ કરદાતાઓએ ટેક્સ પ્રોફેશનલ્સની સેવા લેવી ખૂબ જરૂરી છે. એકાઉન્ટન્ટ મિત્રોને પણ ખાસ વિનંતી કે પોતે એકાઉન્ટન્ટની કામગીરી સારી રીતે બજાવતા હોય તે બાબત ખૂબ સારી કહેવાય પરંતુ ટેક્સ રિટર્ન ભરવા, ટેક્સ આકારણીમાં ઉપસ્થિત થવા, નોંધણી મેળવવા વગેરે જેવી કામગીરી જે તે કાયદાના નિષ્ણાંત પાસે કરવો તેવો ખાસ આગ્રહ કરવામાં આવે છે જેથી ભવિષ્યમાં કરદાતાને મોટી મુશ્કેલી પડે નહીં.
  2. જી.એસ.ટીઅંગે ના દર વિષે અભિપ્રાય આપવો ખૂબ મુશ્કેલ ગણાઈકારણકે જી.એસ.ટીહેઠળ માલ તથા સેવા નો દર ઘણા પરિબળો પર નિર્ભર કરતો હોય છેવેરા ના દર અંગે ના અભિપ્રાય માત્ર સામાન્ય સંજોગો મુજબ આપવામાં આવેલ છે અંગે આપ એડ્વાન્સ રૂલિંગ દ્વારા ચોક્કસ દર જાણી શકો છો.
  3. અમારા એક્સપર્ટ ટેક્સ ટુડે ને સેવા વાચકો ના લાભાર્થે આપે છેતમામ વાચકો ને વિનંતી કે પોતાના પ્રશ્નો ટેક્સ ટુડે ને નીચે આપેલ મેઈલ પર મોકલેકોઈ પણ સંજોગો માં વાચકો ને વિનંતી કે એક્સપર્ટ્સ નો સીધો સંપર્ક બિનવ્યવસાયી રીતે ના કરવો.

કૉલમ અંતર્ગત આપના પ્રશ્નો પૂછવા આપ અમને taxtodayuna@gmail.com પર મેઈલ કરી શકો છોઆપના પ્રશ્નોના જવાબ શક્ય એટલા જલ્દી લેવા પ્રયાસ કરવામાં આવશે.

ડિસ્ક્લેમર:આ કૉલમ ટેક્સ ટુડે ના એક્સપર્ટ દ્વારા શક્ય તમામ કાળજી રાખી કાયદા ના પોતાના અભિપ્રાય ઉપર આપવામાં આવેલ છે. છતાં આ અભિપ્રાય તેઓના અંગત અભિપ્રાય છે. કોઈ કેસ માં તેનો ઉપયોગ કરવો કે ના કરવો તે વાચકો ના અંગત મંતવ્યો ઉપર આધારિત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright © All rights reserved. | Newsphere by AF themes.